એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?
સલ્ફર અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને ઍસિડ વર્ષોના નિર્માણને ઘટાડી શકાય છે.
અશ્મિગત બળતણથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, વિદ્યુતમથક તથા ઉદ્યોગોમાં ઓછું સલ્ફર ધરાવતા અશ્મિગત બળતણનો ઉપયોગ કરવો.
સલ્ફરનું પ્રમાણ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરવો અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ એવા કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ.
મોટરગાડીમાં ઉદીપકીય પરિવર્તકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઉત્સર્જિત થતા ધુમાડાની વાતાવરણ પર થતી અસર ઘટાડી શકાય છે.
જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને જમીનની ઍસિડિક્તા ઘટાડી તેને તટસ્થ બનાવવી જોઈએ.
ઓઝોન વાયુ કેવી રીતે બને છે ?
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો.
પર્યાવરણીય પ્રદૂષણ એટલે શું ?
હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર માટે કયા તત્વો જવાબદાર છે.